-મહેશ ચૌધરી, પાટણ
સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો તમે ,
ઝંખતી કાવ્યને સત્યને, સૃષ્ટિ આ આપને નમે.
તેમનો મંત્ર હતો મૌન. એમની ભાષા હતી સત્ય. તેમનુ કાર્ય હતું અહીંસા. બ્રિટિશરો સાથેની મંત્રણા ચાલતી ત્યારે એમની મંત્ર શક્તિ કાર્ય કરતી હતી. મંત્રણાના ખંડમાં જ્યારે તેઓ દાખલ થતાં ત્યારે એક અજીબ શક્તિનું વાતાવરણ સર્જાઈ રહેતું. બ્રિટિશરોને એમની અડગ શક્તિના દર્શન થતાં. મહાઆશ્ચર્ય પણ થતું. સ્તબ્ધ બની જતા. એક વિરાટ દેશનો નેતા માત્ર મુઠીભર હાડકાનો માનવી હતો. પણ તે એક સલ્તનતને પડકાર ફેંકવાની શક્તિ ધરાવતો. તેના શરીર પર સૂટ-બૂટ-કોટ હોય,તેના બદલે માત્ર એક ધોતિયું પહેરેલું જોવા મળતું. એમણે કદી હાર માની ન હતી. તે હતા સહસ્ત્રાબ્દિનો સૌથી મહાન ને એકમાત્ર અહિંસાના પુજારી મહાત્મા ગાંધી. મહાવીર ને બુદ્ધને કોઈની સામે લડવાનું ન હતું. પણ ગાંધીજી એક સત્તા સામે ઝઝૂમ્યા – લાઠીમાર ને ગોળીબારની પરવા ન કરનાર – ને છતાં મુંગે મોઢે અહિંસક બનીને તેનો સામનો કરતા. એક સૈનિક તો તેની પાસેના શસ્ત્રથી દુશ્મનનો સામનો કરી શકે છે. પણ ગાંધીજી નિઃશસ્ત્ર બનીને સામનો કરનાર એક મહાન યોધ્ધા હતા. એમના આમ યુધ્ધને કારણે જગતના કરોડો મનુષ્યોના અંતરમાં અહિંસાની જ્યોત ફેલાતી. લોકો વિચારમાં ડૂબી જતા. એ ગાંધીજી સાચે જ કોણ હતા? મોહન કે મહાત્મા? આ મહાત્માએ ૧૯૪૭ દેશને આઝાદી અપાવી. દેશના ભલા માટે અને સમગ્ર માનવજાત માટે પોતાના જીવન દ્વારા અમૂલ્ય પદાર્થપાઠ આપી ૧૯૪૮ના જાન્યુઆરી મહીનાની ૩૦મી તારીખે નથુરામ ગોડસેની ગોળીથી દિલ્હીમાં પ્રાર્થનાસભામાં ‘હે રામ…’ કહી દેહ છોડ્યો… ત્યારે કરૉડો ભારત વાસીઓના મુખમાંથી અનાયાસેજ શબ્દો નિકળી ગયા હતા કે ” પહેલી રે ગોળી ગાંધી બાપુને વાગતા, નિકળી ગયા બાપલા કેરા પ્રાણ રે.. ગાંધીજી બાપુ તમને રે મરણ ક્યાંથી આવીયા….
Leave a comment