તાઃ ૨૨-૦૭-૨૦૧૧ (શુક્ર્વાર)
-મહેશ ચૌધરી
–> ભોજન કેન્દ્રો પાસે મકાનો નહીં હોવાથી ખૂલ્લામાં પતરાંનાં શેડ નીચે બનાવાતું ભોજન
–> આપણા દેશમાં મોટા ઉપાડે ગરીબ બાળકો માટે મધ્યાહન ભોજન યોજનાં અમલમાં મુકવામાં આવી છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે આ મધ્યાહન ભોજન કેન્દ્રો પર ભોજન મેળવતા નાનાં ભુલકાઓ ખોરાક કરતાં વધુ ધુળ પણ ફાંકતા હોય છે. પાટણ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ચાલતાં ૧૦૪ મધ્યાહન ભોજન કેન્દ્રો પાસે મકાનો નથી. આ કેન્દ્રોમાં માત્ર પતરાનાં જૂના શેડ નીચે બાળકોને જમવા માટેનું ભોજન બનાવવામાં આવે છે. જ્યારે વરસાદમાં અને ધૂળની ડમરીઓ ઉડતી હોય ત્યારે બાળકોના ખોરાકમાં સ્વચ્છતા જાળવવી સંચાલકો માટે ખૂબ કઠીન બને છે. બાળકોને અન્ન સાથે ધૂળ પણ ફાકવી પડે તેવી સ્થિતિ હોઇ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઇ રહ્યાં છે.
Advertisements
Leave a Reply